Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન : જિમ કરતા સમયે હાર્ટએટેક આવ્યો

ડૉક્ટરોની ટીમે 45 મિનિટ સુધી તેની સારવાર કરીને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતમાં તેનો જીવ બચાવવામાં નિષ્ફળ રહ્યા

મુંબઈ :ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. એક્ટર જિમ કરતા સમયે પડી ગયા હતા, તેમના પરિવારમાં તેમની પત્ની અલીસિયા રાઉત અને બે બાળક છે. તેમણે હાર્ટ એટેક બાદ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

ડૉક્ટરોની ટીમે 45 મિનિટ સુધી તેની સારવાર કરીને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતમાં તેનો જીવ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક્ટરના પરિવાર અને તેના નજીકનાઓને સાંત્વના પાઠવી રહ્યુ છે.

ટીવી એક્ટર જય ભાનુશાળીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ સમાચારને કન્ફોર્મ કર્યા છે, તેને સિદ્ધાંત વીરની તસવીર શેર કરતા લખ્યુ કે ભાઇ તમે ઘણા જલ્દી જતા રહ્યા, આ સાથે જ જય ભાનુશાળીએ કહ્યુ કે મને એક કૉમન મિત્ર પાસેથી આ જાણકારી મળી છે. જિમમાં વર્ક આઉટ કરતા સમયે તેનું નિધન થયુ હતુ.

મહત્વપૂર્ણ છે કે સિદ્ધાંતે પોતાની કરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી હતી. ટીવી સીરિયલ કુસુમથી તેને પોતાનું ટીવી ડેબ્યૂ કર્યુ હતુ. આ સિવાય તે સૂફિયાના ઇશ્ક મેરા, જિદ્દી દિલ માને ના, વારિસ, સાત ફેરે: સલોની કા સફર, કસૌટી જિંદગી કી જેવા શોનો ભાગ રહી ચુક્યો છે. અંતિમ વખત તે ઝી ટીવીના શો ક્યૂ રિશ્તો મેં કટ્ટી બટ્ટીમાં જોવા મળ્યો હતો

(8:35 pm IST)