Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પ્રદેશ પ્રમુખ સતીશ પુનીયાની પદયાત્રામાં કોઇ મોટા નેતાના જોડાયા

અમિતભાઇ શાહની શિખામણ રાજસ્‍થાનના ભાજપા નેતાઓ માટે ઝાંપા સુધી

જયપુર,તા. ૧૩ : રાજસ્‍થાનમાં અમિતભાઇ શાહના પ્રવાસ પછી પણ જૂથબંધી રોકાય નથી. ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ સતીષ પુનિયાની એકલા જ પદયાત્રા કરવાની ગુંજ દિલ્‍હી સુધી પહોંચી છે. ૬ સપ્‍ટેમ્‍બરે પુનિયાની આ પદયાત્રા કેન્‍દ્રીય પ્રધાન ગજેન્‍દ્રસિંહ શેખાવત અને કૌલાશ ચૌધરી સાથે થવાની હતી. પણ તે બંને તેમાં નહોતા જોડાયા. તેમણે તેમનણ્‍ે અને અન્‍ય નેતાઓને આમંત્રણ ના મળ્‍યુ હોવાની ફરિયાદ પાર્ટી હાઇકમાન્‍ડને કરી હતી. ત્‍યાર પછી સીનીયર નેતાઓ આમંત્રિત કર્યા વગર પક્ષના બેનર હેઠળ આ પ્રકારની ધાર્મિક પદયાત્રાને સ્‍થગિત કરવા કહેવાયું હતું. સતીષ પુનિયા સાથે કેન્‍દ્રીય મંત્રી શેખાવત અને કૈલાશ ચૌધરી પણ જોડાવાના હતા પણ પુનિયાની એકલા ચાલોની નીતી પર ચાલીને કરાયેલ પદયાત્રાએ રાજકીય વિરોધીઓના મોઢા બંધ કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે અમિતભાઇ શાહે પોતાના રાજસ્‍થાન પ્રવાસ દરમ્‍યાન બધાને એક જૂથ રેહવાની સલાહ આપી હતી.

(4:36 pm IST)