Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આંધ્રપ્રદેશમાં મોડી રાત્રે કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, લેબમાં કામ કરી રહેલા ૬ ભડથું:૧૨ ગંભીર

મોટા ભાગના પીડિત બિહારના રહેવાસી છે

હૈદ્રાબાદ, તા.૧૪: આંધ્રપ્રદેશના પશ્‍ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેદ્દીગુડેમમાં બુધવારે મોડી રાત્રે એક કેમિકલ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૬ લોકોના મોત થયા હતા. કેમિકલ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટમાં થયેલા આ અકસ્‍માતમાં ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને વિજયવાડાની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

આગ કેમિકલ ફેક્‍ટરીના બે માળને લપેટમાં લીધી હતી, જયાં ૧૭ કામદારો કામ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા મોટાભાગના લોકો બિહારના રહેવાસી હતા અને પશ્‍ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેદ્દીગુડેમ સ્‍થિત પોરસ લેબ્‍સ પ્રાઈવેટ લિમિટેડમાં નાઈટ શિફટમાં કામ કરતા હતા.

પશ્‍ચિમ ગોદાવરી જિલ્લાના એસપી રાહુલ દેવ શર્માએ કહ્યું, ‘પોરસ કેમિકલ ફેક્‍ટરીમાં બુધવારે આગ લાગી હતી, જયાં પોલિમર બનાવવામાં આવે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગેસ પાઈપલાઈનમાં લીક કે તૂટવાને કારણે આ ઘટના બની શકે છે. આગ લાગ્‍યા બાદ મોટી જવાળાઓ વધી રહી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. અમે બે મૃતદેહ બહાર કાઢ્‍યા છે, ચાર હજુ પહેલા માળેથી બહાર કાઢવાના બાકી છે. ૧૧ ઘાયલોને વિજયવાડાની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

(12:09 pm IST)