-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
આંધ્રપ્રદેશમાં મોડી રાત્રે કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, લેબમાં કામ કરી રહેલા ૬ ભડથું:૧૨ ગંભીર
મોટા ભાગના પીડિત બિહારના રહેવાસી છે
હૈદ્રાબાદ, તા.૧૪: આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેદ્દીગુડેમમાં બુધવારે મોડી રાત્રે એક કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૬ લોકોના મોત થયા હતા. કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થયેલા આ અકસ્માતમાં ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને વિજયવાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ કેમિકલ ફેક્ટરીના બે માળને લપેટમાં લીધી હતી, જયાં ૧૭ કામદારો કામ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બિહારના રહેવાસી હતા અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેદ્દીગુડેમ સ્થિત પોરસ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડમાં નાઈટ શિફટમાં કામ કરતા હતા.
પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એસપી રાહુલ દેવ શર્માએ કહ્યું, ‘પોરસ કેમિકલ ફેક્ટરીમાં બુધવારે આગ લાગી હતી, જયાં પોલિમર બનાવવામાં આવે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગેસ પાઈપલાઈનમાં લીક કે તૂટવાને કારણે આ ઘટના બની શકે છે. આગ લાગ્યા બાદ મોટી જવાળાઓ વધી રહી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. અમે બે મૃતદેહ બહાર કાઢ્યા છે, ચાર હજુ પહેલા માળેથી બહાર કાઢવાના બાકી છે. ૧૧ ઘાયલોને વિજયવાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.