Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નગ્રંથિમાં જોડાયા

બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નને લઈને લોકોમાં ભારે ક્રેઝ : સ્ટાર કપલની બારાત સુરક્ષાના કારણોસર રદ કરાઈ, અંબાણી પરિવાર સહિતના મહાનુભવોની વિશેષ હાજરી

મુંબઇ, તા.૧૪ : બૉલીવૂડની સૌથી ક્યુટ જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. આલિયા રણબીરનાં લગ્ન પંજાબી વિધિસર કરવામાં આવ્યા હતા. ૪ પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતા.  

ફિલ્મોમાં દુલ્હન અને દુલ્હાનો અભિનય કરનાર આ કપલ હવે રિલમાંથી રિઅલ લાઇફમાં પણ આ કિરદાર નિભાવવશે. રણબીર કપૂર અને આલિયાના લગ્ન હાલ સંપન્ન્ થયા છે. બંને કપલ હવે ઓફિશિયલી પતિ પત્નિ બની ગયા છે. 

આ લગ્નમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્નમાં બૉલિવૂડની જોડી કરિના કપૂર ખાન અને શૈફ અલી ખાન પણ નજરે પડ્યાં હતા. આ સિવાય કરણ જૌહર, નવ્યા નંદા, પુજા ભટ્ટ, મહેશ ભટ્ટ, રાહુલ ભટ્ટ પણ લગ્નમાં પહોંચી ગયા છે. આલિયાની માતા પુત્રીના લગ્નને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. માતા સોની રાજદાન પોતાની પુત્રીના લગ્નમાં રેડી થઇને ફોટો પણ શેર કર્યો હતો. રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી બારાત લઇને જશે એવું આયોજન અગાઉ વિચારાયું હતું. બારાતમાં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખજી સહિતની બોલિવુડ સેલિબ્રિટીઓ અને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા.

પરંતુ, આ લગ્નએ સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્ન સ્થળ બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં હતા. એક એક વાહનને અંદર જવા દેવામાં સિક્યોરિટી જવાનોને ભારે મહેનત કરવી પડી રહી હતી. આ તમામ ઘટનાક્રમ જોતાં છેલ્લી ઘડીએ બારાત કાઢવાનું માંડી વાળવામાં આવ્યું હતું.

(7:50 pm IST)