Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સ્ટીંગ ઓપરેશનઃચેતન શર્માનુ ભાવિ જય શાહના હાથમાં?

નવી દિલ્હીઃ બીસીસીઆઇની સિલેકશન કમિટીના ચેરમેન ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ટીમ ઇન્ડિયાની સિલેકશનને લગતી બાબતો તેમજ અન્ય મુદાઓ પર ચોંકાવનારા તથા ધારદાર નિવેદનો કરતા જે અભુતપૂર્વ વિવાદ થયો છે એમાં હવે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ જ ચેતન શર્માનુ ભાવિ નકકી કરશે એવું કેટલાક આધારભુત સુત્રોએ જણાવ્યુ હતુ

ઝી ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ કહયુ હતુ કે કોહલી અને રોહિત એમ બે જુથમાં ભારતીય ટીમ વહેંચાઇ ગઇ છે. સહિત અનેક ઘટસ્ફોટ કર્યા હતા અધિકારીએ શુ કહયુ? બીસીસીઆઇના એક અધિકારીએ એવું કહયુ હોવાનું મનાય છે કે ચેતન શર્માના ભાવિ વિશે જય શાહ નિર્ણય લેશે. જો ચેતન શર્માને કમિટીમાં ચાલુ રખાશે તો ટી૨૦નો સુકાની હાર્દિક પંડયા કે વન–ડે તથા ટેસ્ટનો કેપ્ટન રોહિત શર્મા ચેતન શર્માની કમિટીમાં બેસવાનું પસંદ કરશે કે નહી એ મોટો સવાલ છે, કારણકે ચેતન શર્માએ અંદરની ચર્ચાની વાતો બહાર પાડી દીધી છે.

(3:54 pm IST)