Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

અદાણી કૌભાંડ પર વિપક્ષ દ્વારા ફરીવાર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ : 18 વિપક્ષી પાર્ટીના નેતાઓ રણનીતિ ઘડવા બેઠક કરશે

બેઠકમાં તમામ સાંસદોના હસ્તાક્ષર કરવાના પત્રના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી :  અદાણી કૌભાંડ પર વિપક્ષ ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 10 વાગ્યે 18 વિપક્ષી પાર્ટીના નેતાઓ અદાણી કૌભાંડ પર આગળની રણનીતિ ઘડવા માટે બેઠક કરશે. બેઠકમાં તમામ સાંસદોના હસ્તાક્ષર કરવાના પત્રના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલની બેઠકમાં વિરોધ પક્ષો દ્વારા આક્રમક હિલચાલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

(11:13 pm IST)