Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

તેજસ્‍વી ૨૫મીએ સીબીઆઇ સામે હાજર થશે : ધરપકડ નહી કરાય

પટના તા. ૧૬ : બિહારના ઉપમુખ્‍ય મંત્રી તેજસ્‍વી યાદવ ૨૫મીએ સીબીઆઇ સામે હાજર થશે. અગાઉ ત્રણ વખત તેજસ્‍વીને પૂછપરછ માટે સમન્‍સ મોકલવામાં આવેલ. કોર્ટમાં સીબીઆઇએ જણાવેલ કે, તેઓ તેજસ્‍વીની ધરપકડ નહીં કરે.

સીબીઆઇ દ્વારા ૭મીએ તેજસ્‍વીના પિતા લાલુ યાદવની પુછપરછ કરાયેલ. જ્‍યારે તેના એક દિવસ અગાઉ રાબડીની પણ તેના પટના નિવાસે સીબીઆઇએ પૂછપરછ કરી હતી. સીબીઆઇની તપાસ બાદ ઇડી પણ હરકતમાં આવ્‍યું હતું. ઇડીએ ૧૦મીએ નોકરીના બદલે જમીન કૌભાંડમાં ચાલી રહેલ તપાસ અંતર્ગત તેજસ્‍વીના દિલ્‍હી સ્‍થિત નિવાસનું ચેકીંગ પણ કરેલ.

(4:33 pm IST)