Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પૂનરાવર્તન

''પૂનરાવર્તનનું અસ્તીત્વ જ નથી, અસ્તીત્વ હમેશા તાજુ છે.''

દરેક દિવસ અલગ છે. અને કોઇક દિવસે તમે તફાવત જોઇ નથી શકતા તેનો કેવળ એટલો જ મતલબ છે કે તમે બરાબર જોતા નથી. કઇ જ પુનરાવર્તીતનનું કોઇ અસ્તીત્વ જ નથી. અસ્તીત્વ હમેશા તાજુ છે પરંતુ જો આપણે હમેશા ભૂતકાળ સાથે સરખાવીએ તો મનને તે પુનરાવર્તન જેવું લાગશે અને તેથી જ મન એક કંટાળાનું ઉદ્દભવ સ્થાન છ. તે તમને કંટાળો આપે છે કારણ કે તે જીવનની નવીનતાને તમારી સામે ખૂલવા જ નથી દેતું તે વસ્તુઓને એકજ- સ્વરૂપથી જોયા કરે છે.

જો એવું લાગે કે જીવન પુનરાવર્તીત થઇ રહ્યું છે તો- હમેશા યાદ રાખો કે તે જીવન નથી, તમારૂ મન છે.

મન બધુ જ ઉદાસીન એક પરીમાણીય બનાવે છે જીવન શ્રી-પરીમાણીય છે.જીવન રંગીન છે.

મન બેરંગ છે. જીવન મૈઘધનુષ્ય જેવું છે કાળા અને સફેદ કલર વચ્ચે હજારો અલગ-અલગ કલર છે જીવન હા અને ના વચ્ચે વિભાજીત નથી મન વિભાજીત છે. જીવન નથી.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:36 am IST)