Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જગપ્રસિદ્ધ કથ્થક સમ્રાટ બીરજુ મહારાજનું નિધન

લાંબા સમયથી ડાયાલિસિસ ઉપર હતા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઊંડું દુખ વ્યક્ત કર્યું

પદ્મ વિભૂષણ બિરજુ મહારાજનું વહેલી સવારે નિવાસ સ્થાને ૮૩ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુખદ અવસાન થયું. તેમની પૌત્રી  રાગીની મહારાજે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તેઓ અંતાક્ષરી રમી રહ્યા હતા ત્યારે  તેમની તબિયત બગડી હતી. લાંબા સમયથી ડાયાલિસિસ ઉપર હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઊંડું દુખ વ્યક્ત કર્યું છે

(12:06 pm IST)