Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

અભિનેતા ધનુષની પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત: બંનેને બે સંતાનો છે

વર્ષ 2004માં બંનેના લગ્ન થયા હતા : ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે અને તે ફિલ્મ નિર્દેશક અને પ્લેબેક સિંગર પણ છે

મુંબઈ : તમિલ ફિલ્મોના જાણીતા ફિલ્મ સ્ટાર અને તાજેતરમાં 'અતરંગી રે'માં મહત્વની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા ધનુષે સોશિયલ મીડિયા દ્વારા તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી છે. ઐશ્વર્યા અને ધનુષના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને બંનેને બે બાળકો પણ છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે અને તે ફિલ્મ નિર્દેશક અને પ્લેબેક સિંગર પણ છે

(12:00 am IST)