Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કર્ણાટકમાં કરાગા ઉત્‍સવમાં ભાવિકો ઉમટયા

કર્ણાટકના બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે થિગલરપેટમાં શ્રી ધર્મરાય સ્‍વામી મંદિર દ્વારા આયોજીત વાર્ષિક કરાગા ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ ઉમટી પડયા હતા. કર્ણાટક હાઇકોર્ટે આયોજકોને બેંગલુરૂ કરાગા ઉત્‍સવમાં રાત આખી શોભાયાત્રા કાઢવાની મંજુરી આપી હતી. આ મંદિર દેશનું એકમાત્ર પાંડવોને સમર્પીત મંદીર છે. કરણા મુળ રૂપે પ્રકૃતિ અને પાણીનો ઉત્‍સવ છે. જેને તિગલા સમુદાયના લોકો ચૈત્ર મહિનામાં ઉજવે છે.

(3:07 pm IST)