Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બીએસએફના ૧૦૦ ઉંટોનું દળ 'સંગ્રામ'ની આગેવાનીમાં પરેડમાં સામેલ થશે

જોધપુર,તા. ૧૯ : ૨૬ જાન્યુઆરીના રોજ રાજપથ ઉપર યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં બીએસએફના ઉંટોનું દળ સામેલ થશે. આ ૧૦૦ ઉંટોના દળનું નેતૃત્વ સંગ્રામ નામનો ઉંટ કરશે. જેના ઉપર બીએસએફ જોધપુરના ડેપ્યુટી કમાન્ડેટ મનોહરસિંહ ખીંચી સવાર થશે. સંગ્રામની પાછળ જગુસાર, ગજેન્દ્ર, યુવરાજ, મોતી, મોનુ, ગુડ્ડુ સહિત ૯૯ ઉંટ પરેડમાં સામેલ થશે. આ વખતે ઝડપી દોડનાર 'મિલ્ખા' ઉંટ જેસલમેર બોર્ડર ઉપર તૈનાત હોવાથી ભાગ નહીં લે. ઉંટોને ગોરબંદ, લુમ સહિત ૭૦ જેટલા આભુષણોથી બનાવાયેલ પોષાકથી સજાવાશે. પરેડમાં પહેલીવાર ૧૯૭૬માં ઉંટોનું દળ સામેલ થયેલ.

(12:35 pm IST)