Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પુત્રના આકસ્મીક મોતથી અજાણ ૯૨ વર્ષીય માતાએ પણ થોડા કલાકોમાં પ્રાણ ત્યાગ્યા

માતા-પુત્રના મમતાભર્યા સંબંધનું વધુ એક ઉદાહરણ

પટના,તા. ૧૯ : માતા-પુત્રના મમતાભર્યા સંબંધોનું વધુ એક ઉદાહરણ બિહારના બાંકામાં જોવા મળ્યુ છે. બાંકા નિવાસી ૬૦ વર્ષીય ધનંજય કિશોરી શાહના સૌથી નાના પુત્ર હતા. તેઓ અપરણીત હતા. તેઓ સમાજ સાથે ખૂબ જ જોડાયેલ હતા ખાસ કરીને માતા ચમેલીદેવી સાથે.

ધનંજય દરરોજ સવારે હનુમાનજી મંદિરે પુજા-પાઠ કર્યા બાદ ચાલવા જતા. આ ક્રમમાં સોમવારે ધનંજયને ટ્રકે જોરદાર ટક્કર મારેલ. તેને હોસ્પિટલ લઇ જવાયેલ જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરેલ. આ સમાચાર પરિજનોને મળેલ પણ ૯૨ વર્ષીય માતાને જાણ ન કરાયેલ. છતા પણ થોડા કલાકો બાદ ચમેલી દેવીએ પણ પ્રાણ ત્યાગી દેતા એક સાથે બે-બે અર્થી ઉઠી હતી.

(12:35 pm IST)