-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 19th January 2022
પુત્રના આકસ્મીક મોતથી અજાણ ૯૨ વર્ષીય માતાએ પણ થોડા કલાકોમાં પ્રાણ ત્યાગ્યા
માતા-પુત્રના મમતાભર્યા સંબંધનું વધુ એક ઉદાહરણ
પટના,તા. ૧૯ : માતા-પુત્રના મમતાભર્યા સંબંધોનું વધુ એક ઉદાહરણ બિહારના બાંકામાં જોવા મળ્યુ છે. બાંકા નિવાસી ૬૦ વર્ષીય ધનંજય કિશોરી શાહના સૌથી નાના પુત્ર હતા. તેઓ અપરણીત હતા. તેઓ સમાજ સાથે ખૂબ જ જોડાયેલ હતા ખાસ કરીને માતા ચમેલીદેવી સાથે.
ધનંજય દરરોજ સવારે હનુમાનજી મંદિરે પુજા-પાઠ કર્યા બાદ ચાલવા જતા. આ ક્રમમાં સોમવારે ધનંજયને ટ્રકે જોરદાર ટક્કર મારેલ. તેને હોસ્પિટલ લઇ જવાયેલ જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરેલ. આ સમાચાર પરિજનોને મળેલ પણ ૯૨ વર્ષીય માતાને જાણ ન કરાયેલ. છતા પણ થોડા કલાકો બાદ ચમેલી દેવીએ પણ પ્રાણ ત્યાગી દેતા એક સાથે બે-બે અર્થી ઉઠી હતી.
(12:35 pm IST)