Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોરોના ખતમ થવા આવ્યો એવું ન સમજતાઃ કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પરઃ વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતમ નથી થવાનોઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

જીનીવા, તા.૧૯: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંગળવારે ચેતવણી આપતા કહ્યું કે લોકો એ નથી વિચારતા કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેકટર માઈકલ રિયાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વર્ચ્યૂઅલ સેશનમાં કહ્યું કે લોકો પેન્ડેમિક બનામ એનડેમિકની વાત કરી રહ્યા છે. જયારે મલેરિયા અને એડ્સ જેવી સ્થાનિક બિમારીઓ એ હજારો લોકોના જીવ લીધા છે.

હકિકતમાં એનડેમિકનો મતલબ છે કોઈ બિમારી સ્થાયી રુપથી વસ્તીમાં સંચારિત થતી રહે. કોરોના જે રીતે વિકસિત થઈ રહી છે તેનાથી લાગે છે કે તે વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો.

દાવોસમાં રસી ઈકવેટી પર જોડાયેલા  કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે સ્થાનિક બિમારીનો મતલબ એ નથી કે આ સારી છે. આનો મતલબ છે કે આ હવે હંમેશા આપણી સાથે રહેશે. માઈકલ રિયાને જણાવ્યું કે કોરોના ઓમિક્રોન વેરિએન્ટ તેજીથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે પરંતુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઓછો દ્યાતક છે. તેમણે વધુમાં કહ્યું કે આ બિમારીના મામલામાં દ્યટાડો લાવવામાં વધારેમાં વધારે રસીકરણની જરુર છે જેથી કોઈ વ્યકિતનં મોત ન થાય. તેમણે કહ્યુ કે મારી નજરથી આ ઈમરજન્સી અથવા મહામારીનો અંત નથી.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડાયરેકટર, માઈકલ રિયાને કહ્યું કે ૨૦૨૨માં કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દર્દીની ભરતી સાથે જોડાયેલા મામલા ઓછા જોવા મળ્યા. કેમ કે કોરોના રસીકરણથી મહામારીને પહોંચી વળવા મદદ મળશે. પરંતુ તેમને એમ પણ કહ્યું કે આ વર્ષે આ વાયરસ ખતમ નથી થવાનો. કદાચ આ વાયરસ કયારેય ખતમ નહીં થાય. મહામારી સાથે જોડાયેલા વાયરસ આપણા ઈકોસિસ્ટમનો ભાગ બની જાય છે.  ત્યારે માઈકલ રિયાને મહામારી સાથે જોડાયેલા ગંભીર મામલામા રસીના ૩ થી ૪ ડોઝની શકયતા પર ભાર મૂકયો છે.

(3:23 pm IST)