Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ યોગી આદિત્યનાથને ટક્કર આપશે

લખનૌ : ઉત્તર પ્રદેશમાં મહાજંગ હવે જામવા લાગ્યો છે. અને ગોરખપુર અને અયોધ્યાની બેઠક ઉપર સહુની નજર મંડાયેલી છે. ત્યારે ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ ગોરખપુરની બેઠક ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે.

આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર બેઠક માટે ચંદ્રશેખર આઝાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે જેને ચંદ્રશેખરે વધાવી લીધેલ છે. અને કહેલ કે 'છેલ્લા પાંચ વર્ષથી લડું છું અને હવે પણ લડીશ, જય ભીમ, જય મંડલ, બહુજન હિતાય, બહુજન સુખાય'

(3:19 pm IST)