Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કાલથી ફાસ્ટેગ વગરના વાહનોનું રજીસ્ટ્રેશન નહિ થાય : નવો નિયમ

ફાસ્ટેગ વિનાના વાહનોના રજીસ્ટ્રેશન પર લગાશે રોક ૨૫ ડિસેમ્બરથી લગાવાશે આ ખાસ પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૧૫ : ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ટોલ પ્લાઝાથી પસાર થનારા ફોર વ્હીલર વાહનો પર ફાસ્ટેગ જરૂરી છે. એવામાં ફાસ્ટેગ વિનાના વાહનોના રજિસ્ટ્રેશન પર ૨૫ ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી પ્રતિબંધ લગાવાશે. આ માટે આરટીઓએ ખાસ નિયમો જાહેર કર્યા છે.

આરટીઓ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર દરેક ફોર વ્હીલરમાં ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. આ સાથે ચેકિંગ ટીમ વાહનને ફાસ્ટેગ લગાવવા માટે ચેતવણી પણ આપશે. લખનઉ આરટીઓ કાર્યાલયમાં દરેક પ્રરારના ફોર વ્હીલરના વાહનોની સંખ્યા ૬ લાખથી વધુ છે. એવામાં સવા લાખ વાહનો ચલણમાં નથી. તો દોઢ લાખ વ્યાવસાયિક વાહનો છે અને ૩ લાખથી વધારે ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન છે. તેમાંથી ૨૫ ટકા વાહનોમાં ફાસ્ટેગ લાગેલા છે.

નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિનાના વાહનોને ટોલ ટેકસમાં કોઈ છૂટ મળશે નહીં. નવા નિયમ અનસાર જો વાહન ચાલક ૨૪ કલાકમાં પરત આવી રહ્યા છે તો ફાસ્ટેગ વાહન પર ટોલ ટેકસમાં ૫૦ ટકા છૂટ મળશે. એટલે કે એક વખતનો ટોલ ટેકસ માફ કરાશે.

એનએચઆઈના નિર્દેશકે કહ્યું છે કે આવી ફાસ્ટેગ સિસ્ટમને પ્રતિ વાહન માલિકોને આકર્ષિત કરવા રખાઈ છે. તેની પાછળ ડિજિટલ કેશલેસ સિસ્ટમને પણ લાગૂ કરવાની વિચારણા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ અનિવાર્ય કર્યું છે. તેઓએ કહ્યું કે વાહન માલિકો ઓનલાઈન અરજી માટે www.fastag.orgનો ઉપયોગ કરી શકે છે.

(10:08 am IST)