Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

એતે ભારતની હજારો કિલોમીટર જમીન પડાવી લીધી છે છતા પીએમ મોદી તેના વિશે કેમ કંઇ બોલી રહ્યા નથી ? રાહુલ ગાંધીના સણસણતા સવાલો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું કે, ચીને ભારતની હજારો કિલોમીટર જમીન પડાવી લીધી છે, તે છતાં પીએમ મોદી તેના વિશે કેમ કંઈ બોલી રહ્યાં નથી?

તેમને કહ્યું કે, એક તરફ તમે સિસ્ટમને તોડી રહ્યાં છો, ખેડૂત, મજૂરને મારી રહ્યાં છો અને વિદેશી શક્તિઓ જોઈ રહી છે, તે કહી રહી છે કે, નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનને કમજોર બનાવી રહ્યાં છે અને તેમના માટે સારી તક બનવા જઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “તમારા પાસે એક અક્ષમ વ્યક્તિ છે, જે કંઈ જ સમજતો નથી અને તે માત્ર 3 અથવા 4 વ્યક્તિઓના આધાર પર આખી સિસ્ટમ ચલાવી રહ્યો છે, જે આ સિસ્ટમને સમજે છે.”

(5:53 pm IST)