Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

પુર્વ દિલ્હીમાં જરૂરીયાતમંદ લોકોને રૂા. ૧ માં ભોજન મળશેઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર  જન રસોઈ ભોજનાલયની શરૂઆત કરશે. જન રસોઈમાં તેમના સંસદીય નિર્વાચન ક્ષેત્ર પૂર્વ દિલ્હીમાં જરૂરિયાતમંદ લોકોને 1 રૂપિયામાં બપોરનું ભોજન આપવામાં આવશે.

ગંભીરે તેમના ઓફિસમાં કહ્યું કે, તેઓ ગુરૂવારના ગાંધીનગરમાં પહેલા ભોજનાલયની શરૂઆત કરશે, ત્યારબાદ ગણતંત્ર દિવસ પર અશોક નગરમાં પણ આ પ્રકારનું ભોજનાલય શરૂ કરશે.

ગંભીર એ કહ્યું, મારું હમેશાથી માનવું છે કે, જાતિ, પંથ, ધર્મ અને નાણાંકીય સ્થિતિ અલગ તમામને સ્વસ્થ અને સ્વચ્છ ભોજન કરવાનો અધિકાર છે. આ જોઇને અફસોસ થયા છે કે, બેઘર અને નિરાધાર લોકોને દિવસમાં બે સમયની રોટલી પણ નસીબ થતી નથી.

ગંભીર એ પૂર્વ દિલ્હીના દસ વિધાનસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછું એક જન રસોઈ ભોજનાલય ખોલવાની યોજના બનાવી છે.

સાંસદના કાર્યાલય તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "દેશના સૌથી મોટા જથ્થાબંધ કાપડ બજારોમાંના એક ગાંધીનગરમાં ખોલવામાં આવનાર જન રસોઈને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવામાં આવશે, જે જરૂરીયાતમંદોને એક રૂપિયામાં ભોજન આપશે."

(5:56 pm IST)