Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ 2 કાર્યકરોની હત્યા : TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

ભાજપે કહ્યું -- રાજકીય વિચારધારાને લીધે કોઈને મારવું એ હિંસાની બર્બર કૃત્ય છે

કોલકતા : પશ્ચિમ બંગાળમાં ભાજપના બે કાર્યકર્તાઓના મોત થયા છે. ભાજપે આને હત્યા ગણાવી છે. બંને કાર્યકર્તાઓની ઓળખ પ્રતાપ બર્મન અને દીપાંકર વિશ્વાસ તરીકે થઈ છે. પ્રદેશ ભાજપ તરફથી વોટસએપ ગ્રુપ પર જાહેર નિવેદનમાં TMC કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ભાજપે જણાવ્યું કે બંને કાર્યકર્તા નદિયા જિલ્લાના શાંતિપુરના રહેવાસી હતા.

તેમનો ગુન્હો બસ એટલો હતો કે આ પાર્ટીના કાર્યકર્તા હતા અને પાર્ટી માટે કામ કરતા હતા. પાર્ટી તરફથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજકીય વિચારધારાને લીધે કોઈને મારવું એ હિંસાની બર્બર કૃત્ય છે અને બંગાળમાં મમતા બેનર્જી સામાન્ય રીતે આવું કરે છે.

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમને ભાજપ કાર્યકર્તાના શંકાસ્પદ મોત પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંગાળમાં ભાજપના લોકો ડરશે નહીં. મમતા બેનર્જીને રાજ્યની સત્તાથી હટાવવાનો જ ભાજપનો ઉદ્દેશ્ય છે

(11:40 pm IST)