Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

અમદાવાદ, રાજકોટ અને મુંબઈના જ્‍વેલરી ઉદ્યોગમાં કારીગરો નવરા

સોના પર ઇમ્‍પોર્ટ ડ્‍યૂટી વધવાથી સોનું ખરીદવું મોંઘું થયું છે અને માંગ ઘટી : રોજના ૮થી ૧૦ કલાકના બદલે જ્‍વેલરી ઉદ્યોગ હવે ૬થી ૭ કલાક કામ કરે છે

મુંબઇ, તા. રપ : સરકારે ગોલ્‍ડની આયાત પર ડ્‍યૂટી વધારી તેના કારણે દેશમાં સોનાની ડિમાન્‍ડ પર ભારે અસર પડી છે અને ઝવેરીઓનું કામકાજ ઘટી ગયું છે. મુંબઈ, અમદાવાદ, કોઈમ્‍બતૂર, કોલકાતા અને રાજકોટ જેવા શહેરોમાં જ્‍વેલર્સ પાસે કામ ઘટી ગયું છે અને તેમણે કામના કલાકો ઘટાડી નાખવા પડ્‍યા છે. જ્‍વેલરી ઉદ્યોગના લોકોએ જણાવ્‍યું કે તેઓ અગાઉ રોજના ૮થી ૧૦ કલાક કામ કરતા હતા, તેની જગ્‍યાએ હવે રોજના ૬થી ૭ કલાક કામ કરે છે.

સોનાની માંગમાં તીવ્ર ઘટાડો

જ્‍વેલર્સે જણાવ્‍યું કે ડ્‍યૂટીના કારણે સોનું મોંઘું થવાથી મોટા ભાગના લોકોને તે પોસાય તેમ નથી. સરકારે ગોલ્‍ડ પરની ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી તેના કારણે સોનાની માંગમાં લગભગ ૬૦ ટકાનો ઘટાડો થયો છે.

જ્‍વેલરી ઉદ્યોગમાં

બેરોજગારી વધશે?

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્‍યું કે સોનાની અને જ્‍વેલરીની માંગ તથા કામકાજ ઘટશે તો આગામી દિવસોમાં આ ઉદ્યોગમાં રોજગારીમાં પણ ઘટાડો થઈ શકે છે. કોઈમ્‍બતૂર જ્‍વેલરી મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિયેશનના પ્રેસિડન્‍ટ મુથુ વેંકટરામે જણાવ્‍યું કે ઈમ્‍પોર્ટ ડ્‍યૂટીની જાહેરાત પછી ડિમાન્‍ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમારે કામકાજના કલાકો ઘટાડવાની ફરજ પડી છે.સમગ્ર વિશ્વમાં ભારત બીજા ક્રમે સૌથી વધુ સોનાની ખરીદી કરે છે. પરંતુ તેના કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (ઘ્‍ખ્‍ઝ)માં વધારો થઈ રહ્યો છે, તેથી સોનાની આયાત ઘટાડવા સરકારે ડ્‍યૂટીમાં વધારો કર્યો છે. ગયા વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં જૂનમાં સોનાની આયાત ગયા વર્ષ કરતા ત્રણ ગણી હતી. મે મહિનામાં અક્ષય તળતિયા નિમિત્તે દેશમાં સોનાની વિક્રમજનક ખરીદી થઈ હતી.

સોના માટે ભારતીયોનો મોહ

જૂનમાં ભારતે ૪૯ ટન સોનાની આયાત કરી હતી જ્‍યારે ગયા વર્ષે જૂનમાં ૧૭ ટન સોનાની આયાત થઈ હતી. ભારત આખા વર્ષમાં લગભગ ૮૦૦થી ૮૫૦ ટન સોનાની આયાત કરે છે. તેમાંથી ૬૦૦ ટન સોનું જ્‍વેલરીના ઉત્‍પાદનમાં વપરાય છે. હાલમાં સોના પર કુલ મળીને ૧૮ ટકા ડ્‍યૂટી લાગે છે જેમાંથી ૧૨.૫ ટકા ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી, ૨.૫ ટકા કળષિ સેસ અને ૩ ટકા GST સામેલ છે. સોનાની ડિમાન્‍ડમાં ઘટાડો થયો છે છતાં એક્‍સપર્ટ્‍સના માનવા પ્રમાણે આ ઘટાડો કામચલાઉ હોઈ શકે છે અને દેશમાં જ્‍વેલરીની માંગમાં ઉછાળો આવશે.

(4:38 pm IST)