Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બદ્રીનાથ ધામના કપાટ ૨૭ એપ્રિલે ખુલશે

નવી દિલ્હી: વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ખુલશે. ગુરુવારે, વસંત પંચમીના શુભ અવસર પર ટિહરીના નરેન્દ્ર નગરના રાજમહેલમાં ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. પંચાંગ ગણતરી બાદ નિયમો સાથે દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.

દેશ ભરના ભક્તોની નજર ચાર ધામ યાત્રા પર હોય છે. ત્યારે હવે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 27 એપ્રિલના રોજ કપાટ ખોલવામાં આવશે.સાથે જ 12 એપ્રિલે ગડુ ગઢડાની તેલ કલશ યાત્રા કાઢવામાં આવશે. 

ટિહરીના નરેન્દ્ર નગરના રાજમહેલમાં ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ટિહરીના રાજપરિવારની સાથે બદરી-કેદાર મંદિર સમિતિના અધિકારીઓ, દિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયત અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:59 pm IST)