Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના સમર્થનથી અમને ઘણું બળ મળ્યું : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

રાવે કહ્યું કે તેઓ અને તેમની સમગ્ર સરકાર દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે દિલ્હીના લોકોની સાથે છે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના વટહુકમ સામે વિપક્ષો એક થઇ રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી આ વટહુકમ સામે વિપક્ષોનું સમર્થન મેળવી રહ્યાં છે દરમિયાન આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે તેઓ અને તેમની સમગ્ર સરકાર દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે દિલ્હીના લોકોની સાથે છે. જે વટહુકમ પસાર કરવામાં આવ્યો છે તે લોકશાહી અને દેશના બંધારણની વિરુદ્ધ છે. તેમના સમર્થનથી અમને ઘણું બળ મળ્યું છે.

(6:34 pm IST)