Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

હવે સત્તામાં છે તેઓ સમગ્ર ઇતિહાસને બદલી નાખશે :દેશની આઝાદીનો ઈતિહાસ પણ બદલશે :નીતિશકુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવા સંસદ ભવન વિશે કહ્યું કે તેને અલગથી બનાવવાની શું જરૂર હતી

નવી દિલ્હી : દેશની નવી સંસદભવન વિશે અલગ અલગ મંતવ્ય રજુ થઇ રહ્યાં છે, નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે, તેવામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવા સંસદ ભવન વિશે કહ્યું કે તેને અલગથી બનાવવાની શું જરૂર હતી. અલગ ઈમારત બનાવવાની જરૂર નહોતી, આ તો જુનો ઈતિહાસ બદલવા જેવો છે.

 નીતીશકુમારે વધુમાં જણાવ્યું હતું કે તમે અમને પૂછો તો અમને લાગે છે કે અલગથી બિલ્ડિંગ બનાવવાની શું જરૂર હતી. આ દિવસોમાં જેઓ સત્તામાં છે તેઓ સમગ્ર ઇતિહાસને બદલી નાખશે. આઝાદીનો ઈતિહાસ પણ બદલી નાખશે.

 

(7:22 pm IST)