Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સોમવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે

કર્ણાટક કેબિનેટ વિસ્તરણને કારણે સ્થગિત કરાયેલ બેઠક હવે સોમવારે મળશે: બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપશે

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસ હવે આ વર્ષના અંતે આવનારી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત બનશે, ત્યારે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક હવે 29 મેના રોજ યોજાશે. અગાઉ આ બેઠક 26 મેના રોજ થવાની હતી. પરંતુ કર્ણાટક કેબિનેટ વિસ્તરણને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી.
 આ બેઠક માટે મધ્યપ્રદેશના તમામ દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી ગયા હતા. પાર્ટીએ એમપીમાં યોજાનારી ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા કરવાની છે. આ બેઠક બે વખત મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપશે.

 

(7:24 pm IST)