Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

યુપીના અલીગઢ જિલ્લામાં લઠ્ઠાકાંડઃ ૧૨ના મોત

ઝેરી દારૂ પીવાના કારણે હજુ અનેક લોકો ગંભીરઃ હોસ્પીટલમાં દાખલ

લખનઉ, તા. ૨૮ :. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ફરી એક વખત લઠ્ઠાકાંડ સર્જાયો છે. અનેક ગામોમાં ૧૨થી વધુ લોકોના મોતથી અરેરાટી ફેલાય છે. જ્યારે હજુ અનેક લોકોની હાલત ગંભીર છે. ઘટના સ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

મામલો અલીગઢ જિલ્લાના લોધા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા ૪ ગામોનો છે. જાણવા મળે છે કે દારૂ પીને ડઝનથી વધુ લોકોના મોત થયા છે. જેમાં ગેસ પ્લાન્ટનો ટ્રક ડ્રાઈવર અને અનેક ગ્રામીણ લોકો સામેલ છે.

હજુ અનેક લોકોની હાલત ગંભીર છે જેઓને હોસ્પીટલમાં દાખલ કરાયેલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

કલેકટરે ઘટનાની તપાસના આદેશો આપ્યા છે.

(10:34 am IST)