Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

૨૪ કલાકમાં ૧૮૬૩૬૪ કેસઃ ૩૬૬૦ના મોત

દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૧૫ ટકા જ્યારે રીકવરી રેટ ૯૦ ટકાથી વધુ

નવી દિલ્હી, તા. ૨૮ :. દેશમા કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે એ દરમિયાન રાહતભર્યા સમાચાર મળ્યા છે. દેશભરમા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬૩૬૪ કેસ નોંધાયા છે અને તે છેલ્લા ૪૦ દિવસમાં આવેલો સૌથી ઓછો આંકડો છે.

દેશમાં ૨૪ કલાક દરમિયાન ૩૬૬૦ લોકોના મોત થયા છે. કુલ કેસની સંખ્યા ૨ કરોડ ૭૫ લાખ ૫૫ હજાર ૪૫૭ થઈ છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાના ૨૩ લાખ ૪૩ હજાર ૧૫૨ એકટીવ કેસ છે જ્યારે ૨ કરોડ ૪૮ લાખ ૯૩ હજાર ૪૧૦ સાજા થયા છે.

અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી ૩ લાખ ૧૮ હજાર ૮૯૫ લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટ ૩૩૯૦૩૯૮૬૧ થયા છે. જેમાં ગઈકાલે ૨૦૭૦૫૦૮ના થયા છે.

દેશમાં કોરોનાનો મૃત્યુદર ૧.૧૫ ટકા છે. જ્યારે રીકવરી રેટ ૯૦ ટકાથી વધુ છે. એકટીવ કેસ ઘટીને ૯ ટકાથી ઓછા થઈ ગયા છે.

(10:50 am IST)