Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યોગી સરકારે પ હજાર કેસ પરત લીધાઃ હજી વધુ પરત લેશે

લખનૌ : ડીસેમ્બર-ર૦ માં યોગી સરકારે મુઝઝફરનગર રમખાણના આરોપી ભાજપના નેતા સંગીત સોમ, સુરેશ રાણા સહિત અન્ય નેતાઓ ઉપરદાખલ કરાયેલ કેસ પાછા લીધા છે અને હવે પ જુલાઇથી ભાજપ કાર્યકર્તાઓ ઉપરના ખોટા કેસ પરત લેવાની પ્રક્રિયા શરૂ થશે.

યોગી સરકાર બન્યા બાદ પ હજાર જેટલા કેસ પરત લેવાયા છે. આ બધા કેસ સપા બસપાના શાસન દરમિયાન રાજકીય ધ્વેષથી અથવા અન્ય કારણથી કરાયેલ. આ અંગે કાયદામંત્રી બ્રજેશ પાઠકે જણાવેલ કે આ સતત પ્રક્રિયા છે. આ બધા કેસ રાજકીય ધ્વેષ અથવા આંદોલનના લીધે કરાયેલ. જયારે વિપક્ષો આને અવાર નવાર ચુંટણી માટે આ પગલુ ઉઠાવી રહી હોવાનું જણાવે છે.

(3:38 pm IST)