Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોરોનાના ૬૩૫૮ નવા કેસઃ ૨૯૩નાં મોત

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૬૫૩એ પહોંચી છે, જેમાં ૧૮૬ દર્દીઓ ઠીક થઈ ચૂકયા છે.  ઓમિક્રોનના કેસો ૨૧ રાજયોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૧૬૭ નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં ૧૬૫ કેસો છે. ઓમિક્રોનના ગુજરાતમાં હાલ ૪૯ કેસો નોંધવામાં આવ્યા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૬૩૫૮  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ ૨.૬ ટકા ઓછા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૩  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩,૪૭,૯૯,૬૯૧ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૪,૮૦,૨૯૦ લોકોનાં મોત થયાં છે.

(4:07 pm IST)