Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

પાકિસ્તાનમાં શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા ગયેલા શીખોને લઇ જતી ટ્રેનના 3 ડબા ખડી પડ્યા: કરાચીથી નનકાના સાહિબ જઈ રહેલી ટ્રેન શોરકોટ અને પીર મહેલ વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ: આતંકવાદી કાવતરું હોવાનું રેલવેના લાહોર ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટનું અનુમાન

ગુરદાસપુર : પાકિસ્તાનમાં શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે કરાચીથી નનકાના સાહિબ જઈ રહેલી શીખ શ્રદ્ધાળુઓને લઈ જતી 3 ડબ્બાવાળી ટ્રેન શોરકોટ અને પીર મહેલ વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી.

રેલવેના લાહોર ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ હનીફ ગિલે સ્વીકાર્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા, તેથી આ ઘટનાને આતંકવાદી ઘટના તરીકે નકારી શકાય નહીં, પરંતુ આ કેસમાં સાચી માહિતી તપાસ પછી જ બહાર આવશે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)