Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022
જુનાગઢ રાજગોર સમાજના સેવાભાવી ગુણુભાઇ મહેતાનું અવસાન સોમવારે પ્રાર્થના સભા

જુનાગઢ : જુનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ ગુણવંતભાઇ નાનજીભાઇ મહેતા ઉ.૭૪ તે સ્‍વ. યોગેશભાઇ, સ્‍વ. હિતેષભાઇ  મનિષભાઇ ડ્રાઇવર સીવીલ હોસ્‍પીટલ જુનાગઢ તથા અલ્‍પાબેન ધર્મેશકુમારના પિતા ધીરૂભાઇ મહેતા રાજકોટ રમેશભાઇ તેમજ કાંતાબેન, મણિબેન, મંજૂબેન, સ્‍વ. નિર્મળાબેનના ભાઇનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૧ ને સોમવારના રોજ હેમનાથ મહાદેવ મંદિર હિમાવન સોસાયટી જુનાગઢ ખાતે રાખેલ છે.

 

સ્‍વ.બાબુભાઈ શાહના પુત્રીના પુત્ર પ્રણયનું દુઃખદ અવસાનઃ સોમવારે સાદડી : જય હિન્‍દ- સાંજ સમાચારના સ્‍થાપક

રાજકોટઃ મૂળ ચોટીલા, હાલ મુંબઈ (દાદર) નિવાસી દીપકભાઈ જયંતિલાલભાઈ શાહ તથા સરોજબેન શાહ (જય હિન્‍દ- સાંજ સમાચારના સ્‍થાપક સ્‍વ.બાબુભાઈ શાહના પુત્રી)ના પુત્ર પ્રણય (ઉ.વ.૩૮)નું ગુરૂવાર તા.૭ના મુંબઈમાં દુઃખદ અવસાન થયેલ છે. શાહ પરિવાર તરફથી સદ્દગતની સાદડી સોમવાર તા.૧૧ના રોજ  સાંજે ૫ થી ૬ દરમ્‍યાન યોગીજી સભાગૃહ, બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા મુસ્‍લિમ સિપાહી સમાજના પૂર્વ પ્રમુખના ભાઇનું અવસાન

સાવરકુંડલા : સાવરકુંડલા મુસ્‍લિમ સિપાહી સમાજના પૂર્વ પ્રમુખ ઇકબાલભાઇ કુરેશીના મોટાભાઇ અને નિવૃત એસ. ટી. ડ્રાઇવર ગફારભાઇ કેસરભાઇ કુરેશી તા. ૭ ને ગુરૂવારના રોજ અલ્લાહના રહેમતમાં પહોંચી ગયેલ છે.

મર્હુમની જીયારાત  તા. ૯ શનીવારે અસરની નમાઝ બાદ પ.૩૦ થી ૬.૩૦ દરમ્‍યાન મસ્‍જીદે ઉસ્‍માન ઉંમરમાં રાખેલ છે. અને ઔરતોની જિયારાત મર્હુમના નિવાસ સ્‍થાન અર્બલ દવાખાના પાસે રાખેલ છે.

અવસાન નોંધ

ડો.કાર્તિક મોઢાના પિતાશ્રી  ડો.શશિકાંત મોઢાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ: ડો.શશિકાંત એમ. મોઢા (રીટાયર્ડ  આરએમઓ, સિવીલ હોસ્‍પિટલ, રાજકોટ) તેઓ ડો.નિર્મલાબેનના પતિ, ડો.કાર્તિક મોઢાના પિતા, ડો.હેતલના સસરાનું આજે તા. ૯ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન નૂતનનગર કોમ્‍યુનિટી હોલ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે

મહેશભાઇ ભટ્ટ

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જેતપુર નિવાસી સ્‍વ. હરસુખરાય લાલશંકર ભટ્ટના સુપુત્ર મહેશભાઇ હરસુખરાય ભટ્ટ (ઉ.વ.૬૩) તે જયદીપભાઇના પિતાશ્રી તથા સ્‍વ. નરેશભાઇ હરસુખરાય ભટ્ટ તેમજ મુકેશભાઇ હરસુખરાય ભટ્ટના ભાઇનું તા. ૮ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૧ ને સોમવારે સાંજે ૪-૩૦ થી ૬ ધુમકેતુ હોલ, રોયલ પાર્ક શેરી નં. ૪, રાજકોટ ખાતે રાખેલ છે. મો. નં. ૯૦૩૩૩ ૪૮૬૦ર (જયદીપભાઇ ભટ્ટ)

સુરેશભાઇ રાજપોપટ

કેશોદ : સુરેશભાઇ રાજપોપટ (ઉ.વ.૬૮) તે સ્‍વ. નાથાલાલ ઠાકરશીભાઇ રાજપોપટ (આછીદ્રાવાળા)ના પુત્ર તેમજ અરવિંદભાઇ, હસમુખભાઇ, ચંદુભાઇ, કુંદનબેન (ચોકી)ના ભાઇ તેમજ હિતેષભાઇ તથા સુમિતભાઇના પિતાશ્રી અને શશીકાંતભાઇ ગોપાલદાસ કકકડ (પોરબંદર) ના જમાઇનું તા. ૮ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. ૧૧ને સોમવારે સાંજે પ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, ફુવારા પાસે, કેશોદ રાખેલ છે. હિતેષભાઇ મો. ૯૦૯૯ર ૯૯પ૮૯, અરવિંદભાઇ મો. ૯૪ર૬૬ ૩૧૩૬૪ (પ-૧૮)

 

ભાગીરથીબેન મેર

રાજકોટ : રાજકોટ નિવાસી બ્રહ્મક્ષત્રીય મથુરાદાસ મેરના પુત્રવધુ, મુળજીભાઇ દુર્લભજીભાઇ છાટબારના પુત્રી ભાગીરથીબેન વ્રજલાલભાઇ મેર (ભાગુબેન ઉ.વ.૭૮) તે રમેશભાઇ, સુરેશભાઇ, જગદીશભાઇ, વર્ષાબેન અનિરૂધ્‍ધ કુમાર દુબલના માતા, ગોવિંદભાઇ, રતુભાઇ, હસમુખભાઇના ભાભી, રાહુલ અને જયના દાદીમાનું તા. ૯ ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૧૧ ને સોમવારે સાંજે પ થી ૬, ખત્રીવાડ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી રાજકોટ છે.

શાન્‍તિલાલ ધોળકીયા

રાજકોટઃ સ્‍વ.નરશીદાસ રૂગનાથભાઈ ધોળકીયાના જયેષ્‍ઠ પુત્ર સોની શાન્‍તીલાલ નરશીદાસ ધોળકીયા (ઉ.વ.૯૩) જે સ્‍વ.અમુભાઈ, સ્‍વ.અમૃતલાલ, સ્‍વ.જેસુરલાલના મોટાભાઈ તેમજ નવનીતભાઈ (મસ્‍કત), જેન્‍તીભાઈ, ધનસુખભાઈ (રાજકોટ) અને નયનાબેન નટવરલાલ કડેચા (આકોલા)ના પિતાશ્રી તા.૮ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમજ વેરાવળ નિવાસી સોની ત્રિભોવનદાસ દુર્લભજીભાઈ રાજપરાના મોટાજમાઈ થાય છે. તેમની સાદડી તા.૯ને શનિવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્‍થાને લક્ષ્મીવાડી મેઈન રોડ, હરીકૃષ્‍ણ-૨, એપાર્ટમેન્‍ટ, ભારત ફરસાણ સામે રાખવામાં આવેલ છે.

પુષ્‍પાબેન લોટીયા

રાજકોટઃ દેરડી કુંભાજીવાળા, હાલ મુંબઈ દશા સોરઠીયા વણીક સ્‍વ.ચંદુલાલ નંદલાલ લોટીયાના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.પુષ્‍પાબેન ચંદુલાલ લોટીયા (ઉ.વ.૭૮), તેઓ રીટાબેન તેમજ અજયભાઈના માતુશ્રી તથા કિશોરચંદ્ર નંદલાલ, ચંપકલાલ નંદલાલ, જયોતિન્‍દ્ર નંદલાલ, દિલીપકુમાર નંદલાલ, રાજેશકુમાર છગનલાલ લોટીયાના મોટા ભાભીનું તા.૭ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું  બેસણું તા.૯ને શનિવારે સાંજે ૫ થી ૬:૩૦, શ્રી જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધીરજલાલ રવાણી

રાજકોટઃ કાથરોટા નિવાસી (હાલ) રાજકોટ સ્‍વ.દયાળજી કરશનજી રવાણીના પુત્ર ધીરજલાલ ડી.રવાણી (ઉ.વ.૬૫) તે ભાવેશ નિશાંતના પિતા તથા શશીકાંતભાઈ, પ્રવિણભાઈ, સ્‍વ.દિનેશભાઈ, સ્‍વ.રમાબેન દોશી, જસવંતીબેન મહેતા, મીનાબેન લોઢવીયાના ભાઈશ્રી તથા ઈન્‍દ્રવદન હરીલાલ ચોવટીયાના જમાઈનું તા.૭ ગુરૂવારના રોજ અરીહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ સોમવારના રોજ સવારે ૧૦ વાગે, વિરાણી વાડી કોઠારીયા  નાકા, રાજકોટ ખાતે રાખેલ છે. (૩૦.૨)

નીતાબેન આડેસરા

રાજકોટઃ સોની જયંતીલાલ દેવચંદભાઈ આડેસરા (મધડિયા)ના પુત્રવધુ અ.સૌ.નીતાબેન, તે પ્રકાશભાઈ જયંતીલાલના ધર્મપત્‍નિ અને અમિતભાઈ, વિશાલભાઈ તેમજ અનિલભાઈના માતુશ્રી તા.૮ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સોની હરિલાલ અમરશીભાઈ કાત્રોડિયાના દિકરી થાય તેમજ કાંતિભાઈ, રજનીભાઈ તથા પ્રદિપભાઈના બહેન, બને પક્ષનું બેસણું શનિવાર તા.૯ના બપોરે ૩ થી ૫ના દરમિયાન સોની સમાજની વાડી યુનિટ નંબર ૨ માં રાખેલ છે.

મનસુખભાઇ વડગામા

જામનગર : મુળ સડોદરના મનસુખભાઇ ગોકળભાઇ વડગામા (ઉ.વ.૮૪) તે રસિકભાઇ, કૈલેશભાઇ, જયેશભાઇ, કુસુમબેન કિશોરકુમાર કરગથરા, પ્રવિણાબેન પંકજકુમાર બદ્રકીયા તથા ભાવનાબેન પ્રવિણકુમાર ભારદીયાના પિતાશ્રીનું તા. ૮ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૧ સોમવારે સાંજે પ થી પ.૩૦ દરમિયાન શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર ખાતે રાખવામાં આવ્‍યું છે.

સુરેશભાઇ રાજપોપટ

કેશોદ : સુરેશભાઇ રાજપોપટ (ઉ.વ.૬૮) તે સ્‍વ. નાથાલાલ ઠાકરશીભાઇ રાજપોપટ (આછીદ્રાવાળા)ના પુત્ર તેમજ અરવિંદભાઇ, હસમુખભાઇ, ચંદુભાઇ, કુંદનબેન (ચોકી)ના ભાઇ તેમજ હિતેષભાઇ તથા સુમિતભાઇના પિતાશ્રી અને શશીકાંતભાઇ ગોપાલદાસ કકકડ (પોરબંદર) ના જમાઇનું તા. ૮ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. ૧૧ને સોમવારે સાંજે પ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, ફુવારા પાસે, કેશોદ રાખેલ છે. હિતેષભાઇ મો. ૯૦૯૯ર ૯૯પ૮૯, અરવિંદભાઇ મો. ૯૪ર૬૬ ૩૧૩૬૪