Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022
લુણીધારના જસવંતભાઇ વ્‍યાસનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ લુણીધાર નિવાસી (હાલ રાજકોટ) જશવંતભાઇ મૂળશંકર વ્‍યાસ તે સ્‍વ.રમણીકભાઇ વ્‍યાસ તથા સ્‍વ. નિરંજનભાઇ વ્‍યાસના ભાઇ તથા સ્‍વ. ઉમીયાશંકર કરશનજીભાઇ મહેતાના જમાઇનું તા.૧૪ ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૯૮૯ ૮૮૦૯૨ કશ્‍યપ વ્‍યાસ, ૯૮૨૪૨ ૯૫૩૮૩ તારક વ્‍યાસ.

રાજકોટના જાણીતા પત્રકાર મનોજ ઓડેદરાનું દુઃખદ અવસાનઃ કાલે શુક્રવારે બેસણું

રાજકોટઃ સાંજ સમાચાર દૈનિકના યુવા પત્રકાર મનોજભાઇ વિક્રમભાઇ ઓડેદરા (ઉ.વ.૫૦)નું તા.૧૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું આવતીકાલે તા.૧૭ને શુક્રવારે સાંજે ૪થી ૬, ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક શેરી નં.૩, અમૃતા હોસ્‍પિટલની બાજુમાં, વૃદાંવન ડેરી વાળી શેરી, રૈયા સર્કલ નજીક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શિલ્‍પાબેન પુરોહીત
રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રીગોળ માળવી બ્રાહ્મણ મૂળ ચલાલા હાલ રાજકોટ નિવાસી શિલ્‍પાબેન (રૂપા) સુરેશભાઈ પુરોહિત (ઉ.વ.૬૩) જે સ્‍વ.ચંદુલાલ લક્ષ્મીશંકર પુરોહિતના પુત્રવધુ તેમજ સુરેશભાઈ ચંદુલાલ પુરોહિતના પત્‍ની, જે અશોકભાઈ, સ્‍વ.વિનુભાઈ, ચીમનભાઈના નાનાભાઈના પત્‍ની, મંથનભાઈના માતુશ્રી તેમજ ઉદયભાઈ પ્રશાંતભાઈ અને જગતભાઈના કાકી, તેમજ સ્‍વ.અમીચંદભાઈ રાયચંદભાઈ મહેતાના પુત્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.


રમેશભાઈ નગેવાડીયા
રાજકોટઃ સ્‍વ.રમેશભાઈ શાંતિલાલ નગેવાડીયા (ઉ.વ.૭૨) તે કમળાબેનના પતિ તથા કિરણબેન, મનોજભાઈ અને નિતીનભાઈના પિતા તથા જયોત્‍સનાબેન ધીરજલાલ અખીયાણીયા અને રંજનબેન પ્રકાશકુમાર છત્રાલીયા તેમજ મુકેશભાઈ શાંતિલાલ નગેવાડીયાના ભાઈ તા.૧૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાને રાખવામાં આવેલ છે. નિવાસસ્‍થાન- શિવમ એવન્‍યુ એપાર્ટમેન્‍ટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, જુનુ ઓમનગર શેરી નં.૨, પટેલ બેટરીવાળી શેરી, ઓમકારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, રાજકોટ નિતીનભાઈ મો.૯૯૨૫૧ ૧૩૦૧૩, મનોજભાઈ મો.૯૨૨૭૧ ૫૧૬૧૭, નક્ષ નિતીનભાઈ નગેવાડીયા (પૌત્ર)


બાબુભાઈ મોરી
રાજકોટઃ ખાંટ રાજપુત, ગામ રાજકોટ, બાબુભાઈ (લક્ષ્મણભાઈ) નાથાભાઈ મોરી તે સીમાબેનના પિતા તથા હિમાંશુભાઈના  સસરાનું તા.૧૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઉષ્‍મા પંડયા

સ્‍વ.ઉષ્‍મા ભરતભાઇ પંડયા (ઉ.વ.૪૩) તે ભરતભાઇ કાંતિભાઇ પંડયાના પત્‍નિ તેમજ ઉત્‍સવ ભરતભાઇ પંડયાના માતાનું તારીખ ૧૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા.૧૭ શુક્રવાર સાંજના ૪થી ૬ અમરનાથ મહાદેવ મંદિર રોડ, સાઇ નગર સોસાયટીની બાજુમાં, શ્રીજી હોટલ વાળી શેરીમાં, બિગ બજાર પાછળ રાખેલ છે. 

અનસુયાબેન સંચાણીયા

રાજકોટ : સમસ્‍ત વરીયા વૈષ્‍ણવ પ્રજાપતિ સ્‍વ. મોહનભાઇ હીરજીભાઇ સંચાણીયા (ધીરજ સ્‍વીટ માર્ટ વાળા) ના ધર્મપત્‍ની શ્રી અનસુયાબેન સંચાણીયા                  (ઉ.વ.આ.૮૨) તે હર્ષદભાઇ, પરેશભાઇના માતૃશ્રી અને દિવ્‍યેશ, દિપાલી, જાનકી, દેવાંગી અને રીયાના દાદીનું દુઃખદ અવસાન તા.૧૫ને બુધવારના રોજ થયેલ છે.સદ્‌ગતનું બેસણું તા.૧૭ને શુક્રવારના રોજ ૧૨-બજરંગવાડી, પ્રજાપતિની વાડી (છાત્રાલય) રાજકોટ ખાતે સાંજના ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.