અવસાન નોંધ
શીતલબેન વોરા
રાજકોટઃ લતીપુર નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ ઓતમચંદ વોરાના ધર્મપત્નિ શીતલબેન (ઉ.વ.૬૬) તે હીનાબેન નરેશભાઈ વોરાના ભાભીશ્રી તથા યક્ષાંગી પાર્થભાઈ વોરાના અને હેતલબેન ધવલભાઈ શેઠના ભાભુ જે ચુડા નિવાસી છોટાલાલ માણેકલાલ શાહની સુપુત્રીનું તા.૨૩ રવિવારના અરિહંત શરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલના પ્રવર્તમાન સંજોગોને લઈને સદ્દગતની તમામ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. દિલીપભાઈ વોરા મો.૯૮૯૮૨ ૫૮૧૪૮, નરેશભાઈ વોરા મો.૯૯૨૫૧ ૫૭૨૫૧, પાર્થભાઈ વોરા મો.૯૦૬૭૮ ૪૩૫૩૭
પ્રભાબેન ચોલેરા
રાજકોટઃ પોરબંદર નિવાસી પ્રભાબેન છોટુભાઈ ચોલેરા (ઉ.વ.૮૪) તેઓ અશ્વિનભાઈ ચોલેરા દિપ્તીબેન પ્રતિકભાઈ રૂપારેલ તથા શેશવીબેન કેતનભાઈ બદીયાણીના માતુશ્રી તથા આદિત્ય, કુબેરના દાદીનું તા.૨૩ના અવસાન થયેલ છે.
ભગવતીપ્રસાદ જોશી
રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ બોટાદ નિવાસી હાલ રાજકોટ ભગવતીપ્રસાદ જગજીવનદાસ જોશી (ઉ.વ.૮૫) તે વિશ્નુપ્રસાદ જોશી, ભદ્રાબહેન બકુલભાઈ જોશી (વડોદરા), મધુબહેન ગીરીશચંદ્ર દીક્ષીત (અમદાવાદ), સ્વ.પુષ્પાબહેન સુરેશકુમાર ભટ્ટ મોરબીના મોટાભાઈ તથા જયેશભાઈ (ભુમી એસ્ટેટ), મમતાબહેન મયુરભાઈ રાવલ (બીએસએનએલ), દિપાબહેન ઉદયનકુમાર ત્રિવેદી, હેતલ નિલેશકુમાર ગેરીયાનાં પિતાશ્રી તથા ભુમી જૈમીનકુમાર પંડયા, તાપસ જયેશભાઈ જોશીના દાદા તથા પ્રભુલાલભાઈ પંડયા (એસ.ટી.અમદાવાદ), સ્વ.પરસોતમભાઈ પંડયા (રેલ્વે- જામનગર) અને સ્વ.હસમુખભાઈ પંડયા (અમદાવાદ)ના બનેવીનું સ્વર્ગવાસ તા.૨૨ અને શનિવારના રોજ રાજકોટ મુકામે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ અને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદીર, ચંદનપાર્ક મેઈન રોડ પેરેડાઈઝ હોલ પાસે, રૈયારોડ મુકામે રાખેલ છે.
નીતિનભાઇ ઉપાધ્યાય
જસદણ :.. ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ નિતીનભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૪ર) તે જીતેન્દ્રભાઇ અંબાશંકરભાઇ ઉપાધ્યાયના પુત્ર, અનિલભાઇના મોટાભાઇ, પ્રમોદભાઇના ભત્રીજા, સુનિલભાઇ જયંતિભાઇ ઉપાધ્યાય (અમદાવાદ)ના પિત્રાઇ ભાઇનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ એસ.ટી. ડેપો, આટકોટ રોડ નજીક ગાયત્રી મંદિર ખાતે રાખેલ છે.