Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧ર-૯-ર૦ર૧ રવિવાર
ભાદરવા સુદ-૬
સૂર્ય છઠ્ઠ
બલરામ જયંતિ
ગૌરી આહવાન ૯-પ૦ થી
વૈધુતિ ૧૧-૪૩ સુધી
વિંછુડો
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૩,
સૂર્યાસ્ત- ૬-પર,
જૈન નવકારશી- ૭-ર૧
ચંદ્ર રાશિ- રાશિ વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર- વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૮ થી ૧૩-૦૮ સુધી
૮-૦૬ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૩ સુધી ૧૪-૧પ થી શુભ-૧પ-૪૭ સુધી
૧૮-પર થી શુભ-અમૃત-ચલ
ર૩-૧પ સુધી
શુભ હોરા
૭-૩પ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪૩ સુધી, ૧૪-૪૬ થી ૧૭-પ૦ સુધી, ૧૮-પર થી ૧૯-પ૦ સુધી
બ્રહ્માંડના સીતારા
શું જીવનમાં બદલાવ આવી શકે છે. આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. વ્યકિતના જીવનમાં જરૂરથી પરિવર્તન થઇ શકે છે કોઇનું સારૂ માર્ગદર્શન વોઇસ થેરાપી મતલબ કે કોઇનસ સાથે ચર્ચા અથવા તેમનું માર્ગદર્શન જીવનમાં સફળતા અપાવે છે. સલાહ આપનાર વ્યકિતના ગ્રહોની અસર તમારા વ્યકિતત્વ ઉપર થઇ શકે છે. જો અંધશ્રધ્ધા તરફ તમો ગયા હશો તો તેમાં વધુ ગરકાવ થઇ શકો છો. તમારા જીવનમાં અનુભવોને ધ્યાનમાં લ્યો જન્મકુંડલીમાં શનિ ચંદ્રને સામાન્ય લોકો ખરાબ યોગ ગણાવે છે જયારે વિશ્વમાં સફળ થઇને નામના મેળવેલ વ્યકિતના જન્મના ગ્રહોમાં શનિ ચંદ્ર એક જ રાશિમા હતા પણ તેમણે યોગ્ય વ્યકિતનું માર્ગદર્શન લીધેલ પોતાની અંદર શ્રધ્ધા ઉભી કરાવનાર વ્યકિત જરૂરી છે.