Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુરૂણીમૈયા પૂ. હીરાબાઇ મ.સ.ની પાલખીયાત્રા નિકળી : કાલે ગુણાનુવાદ

જય જય નંદા, જય જય ભદ્દાના નાદ સાથે

રાજકોટ,તા.૨૭ : ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્‍વામીના પરિવારના કવિયત્રી પૂ. ઝવેરબાઇ મહાસતીજીના સુશિષ્‍યા શાસનચંદ્રિકા બા.બ્ર.પૂ. ગુરૂણીમૈયા શ્રી હીરાબાઇ મહાસતીજી ૯૧ વર્ષની વયે ૭૩ વર્ષની દીક્ષાપર્યાય સહિત તા.૨૭ને સોમવારે બપોરે વિજયમુહુર્તો સમાધિભાવે કાળધર્મ પામ્‍યા હતા.

પૂ.શ્રીની પાલખીયાત્રા આજે મંગળવારે બપોરે સરદાર નગર જૈન સંઘ રાજકોટ ખાતેથી જય જય નંદા, જય જય ભદ્દાના નાદ સાથે  નિકળી હતી. પૂ. જ્‍યોતિબાઇ મ.સ., પૂ. સ્‍મિતાબાઇ મ.સ. વગેરે વૈયાવચ્‍ચમાં હતા.  તાજેતરમાં પૂ. મહાસતીજીના ૯૧માં જન્‍મદિન અને ૭૩માં સંયમ દિનની તપ-ત્‍યાગથી ઉજવણી કરાયેલ.

માતુશ્રી ગિરાજાબેન જમનાદાસ દામાણી પરિવારના પૂ. હીરાબાઇ મ.સ. અને પૂ. નંદાબાઇ મ.સ., પૂ જ્‍યોતિબાઇ મ.સ. એમ ૩ બહેનોએ દીક્ષા અંગીકાર કરેલ. ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા., પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ છે.

ગુણાનુવાદ સભા

પૂ. શ્રીની ગુણાનુવાદ સભા કાલે તા.૧ માર્ચ બુધવારના રોજ સવારે ૯.૧૫ કલાકે ગોંડલ સંપ્રદાયના પૂ. સાધુ તથા સાધ્‍વીજીઓની નિશ્રામાં યોજાશે.

જીવન કવન

રાજકોટની પાવન અને પૂણ્‍ય ભૂમિ ઉપર સદાચાર સંપન્ના રત્‍નકુક્ષિણી માતુશ્રી ગીરજાબેન અને ધર્મ પરાયણ પિતા જમનાદાસભાઈ દામાણી પરીવારના ખોરડે તા.૧૪/૧/૩૩ ના એક સરળ આત્‍માએ જન્‍મ ધારણ કર્યો.હીરા અને લક્ષ્મીની પ્રાપ્ત થાય તેનાથી અધિક આનંદ દામાણી પરિવારને થયો.બાળકીનું નામ ‘હીરાલક્ષમી' પાડવામાં આવ્‍યું. દામાણી પરિવાર એટલે જિન શાસનથી ભાવિત અને પ્રભાવિત થયેલો પરિવાર.

કુટુંબના દરેક સભ્‍યોને ધર્મના સુસંસ્‍કારોનું સિંચન કરાવવામાં આવતું. ધર્મ સ્‍થાનક -ઉપાશ્રયે નિત્‍ય દર્શન કરવા જવાનો સૌને નિયમ.કુમારી હીરા લક્ષ્મીબેન પૂ.ઝવેરબાઈ મ.સ.ના દર્શન કરવા ગયા. હીરાને જેમ ઝવેરી પારખે તેમ પૂ.ઝવેરબાઈ મ સ.એ દશૅને આવેલ હીરાને પારખી લીધો. કવિયત્રી ઝવેરબાઈ મ.સ.પાસે તા.૨૮/૧/૫૧ પોષ વદ પાંચમના શુભ દિવસે રાજકોટની ધન્‍ય ધરા ઉપર પાલીતાણાના ઉતારામાં પરમ ભાગ્‍યશાળી રાજકોટ સંઘમાં તેઓનો ભવ્‍યાતિભવ્‍ય દીક્ષા મહોત્‍સવ ઉજવાયેલ.સ્‍વયં પૂ.ઝવેરબાઈ મ.સ.એ પોતાના શ્રી મુખેથી ‘‘કરેમિ ભંતે''નો પાઠ તેઓને ભણાવેલ.હીરાલક્ષમીબેનમાંથી નૂતન દીક્ષિત પૂ.હીરાબાઈ મ.સ.નામ ઉદ્દઘોષિત કરવામાં આવેલ.

મનોજ ડેલીવાળાએ  જણાવ્‍યું કે પૂ.હીરાબાઈ મ.સ. ૭૨ વર્ષનો સુદીઘૅ સંયમ પર્યાયધારી આત્‍મા હતા.ભારતના અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સંપ્રદાય તથા જિન શાસનનું નામ ચંદ્રની પેરે ઊજ્જવલ કરેલ,તેથી જ તેઓ શાસન ચંદ્રિકા તરીકે ઓળખાતા. પૂ.હીરાબાઈ મ.સ.એ સૌરાષ્‍ટ્ર, મહારાષ્‍ટ્ર, કણૉટક, બિહાર, બંગાલ, ઓરિસ્‍સા સહિત અનેક નાના - મોટા ક્ષેત્રોમાં પ્રભુની આજ્ઞા મુજબ હજારો કિલોમીટરનો પગપાળા વિહાર કરી પ્રભુ મહાવીરનો અહિંસા, કરૂણાનો સંદેશ પહોંચાડવામાં તેઓ નિમિત્ત બનેલ. તેઓના લઘુભગિની સ્‍વ.પૂ.નંદાબાઈ મ.સ.એવમ્‌ પૂ.જયોતિબાઈ મ.સ.એ પણ પૂ.મોટા સ્‍વામીથી પ્રેરિત થઈ ૨૬/૧/૧૯૬૧ ના રોજ રાજકોટ સ્‍થા.જૈન મોટા સંઘના ઉપક્રમે ગોંડલ ગચ્‍છમાં ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરેલ છે.તેઓના ભત્રીજાના સુપુત્ર હર્ષ કમલેશભાઈ દામાણી (પૂ.તીર્થ હંસ વિજયજી મ.સ.) મૂર્તિપૂજક સમુદાયમાં દીક્ષિત થયેલા છે. પૂ.સ્‍વામીના ભત્રીજી કુ.કિંપલબેન ( પૂ.મનસ્‍વીજી) પણ પૂ.ચંદનાજી પાસે જીવન સમર્પિત કરેલ છે.દામાણી પરિવાર ધર્મના રંગે રંગાયેલો પરિવાર છે.

 પૂ.ગુરુણી મૈયાએ અનેક અજૈન પરિવારોને પણ મહાવીરનો અહીંસા,કરુણાનો સંદેશ સમજાવી જૈન ધર્મથી ભાવિત કર્યાં છે. પૂજ્‍ય હીરાબાઈ મ.સ.ની પ્રેરક વાણી અને તેઓના જીવનથી પ્રભાવિત થઈ ધોમ - ધોમ સુખોની છોળો વચ્‍ચે ઉછરેલા એવા તપસ્‍વી રત્‍ના પૂ.સ્‍મિતાબાઈ મ.સ.ની દીક્ષા વિ.સં.૨૦૩૬ વાલકેヘરમાં થતાં જિન શાસનમાં ચાર ચાંદ લાગી ગયેલ.

ગુરુ અને ગુરુણી એજ કહેવાય કે જેઓ જીવાત્‍માને સમ્‍યક્‌ સંપત્તિ અને આત્‍મિક સાહેબી પ્રદાન કરાવે.

અત્રે નોંધનીય છે કે પૂ.હીરાબાઈ મ.સ.ના શ્રી મુખેથી  ‘હે કરૂણાના કરનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી ''..સ્‍તવન સાંભળવું એ જીવનનો એક લ્‍હાવો છે.તેઓ સરળ,નિખાલસ એકદમ ભદ્ર પ્રકળતિના રહેલા છે.ચતુર્વિધ સંઘમાં અને શાસનમાં એકતા જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્‍નશીલ રહેતા.

 સંયમ અને સંયમી આત્‍માઓને નિહાળી તેઓ ખૂબ જ રાજીપો અનુભવતાર્.ં  હીરાબાઈ મ.સ.ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની મોંઘેરી મૂડી સમાન હતા.  સાધ્‍વી રત્‍ના પૂ.જયોતિબાઈ મ.સ.,તપસ્‍વી રત્‍ના પૂ.સ્‍મિતાબાઈ મ.સ.,પૂ.જશુબાઈ મ.સ.,પૂ.ઉષાબાઈ મ.સ.આદિ સતિવળંદ પૂ.હીરાબાઈ મ.સ.ની અવિરત પણે અગ્‍લાન ભાવે સેવા - વૈયાવચ્‍ચ કરેલ. 

(12:26 pm IST)