Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દુષ્‍કર્મના ગુનામાં આરોપીઓની વચગાળાના જામીન પર છુટવા અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા. ૧ :  રાજકોટ જીલ્લામાં બનેલ જુદા જુદા ત્રણ દુષ્‍કર્મના ગુન્‍હાઓમાં આરોપીઓએ માનવતાના ધોરણે વચગાળાના જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા પોકસો કોર્ટ જામીન અરજી રદ કરેલ છે.

જેમાં આરોપી ભરત જગદીશભાઇ પ્રસાદ તથા આરોપી રમેશભાઇ દેવાભાઇ પરમાર તથા આરોપી હરેશ ગોપાલભાઇ સોલંકી બધા હાલ જેલમાં છે.

આરોપીઓએ જુદા જુદા કારણોસર માનવતાના ધોરણે જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનોે વિરોધ્‍ધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓ સામે સમાજ વિરોધ્‍ધી ગુન્‍હો છે. આવા સમાજ વિરોધ્‍ધી ગુન્‍હાઓમાં માનવતા રાખવી જોઇએ નહી અને જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે.ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:22 pm IST)