Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમા આયોજીત વિશ્વ કલ્યાણ હેતુ ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞમાં વિશ્વ કલ્યાણ સંકલ્પની પુજાવિધીમાં સહભાગી બન્યા

રાજકોટ::પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ અમદાવાદ ખાતે આયોજીત વિશ્વ કલ્યાણ હેતુ ૧૦૮ કુંડી શ્રી  દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞમાં વિશ્વ કલ્યાણ સંકલ્પની પુજાવિધીમાં સહભાગી બન્યા હતા.

હિમાલયની સિદ્ધ પરંપરાના વિશ્વ વિખ્યાત સંત શ્રી પંચ દશમનામી જુના અખાડાના નાસીક પીઠના પીઠાધીશ્વર મહાયોગી મહામંડલેશ્વર શ્રી પાયલોટબાબા(શ્રી કપીલ અદ્વૈત)ના સાનીધ્યમાં વિશ્વ કલ્યાણ હેતુ ૧૦૮ કુંડી શ્રી  દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞમાં વિશ્વ કલ્યાણ સંકલ્પની પુજાવિધીમાં શ્રી વિજયભાઈએ સહભાગી થઇને પુજ્ય સંતોના ભાવસભર આશીર્વાદ લેવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયુ.

(4:43 pm IST)