Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શિવસાગર-ગદાધર વિસ્‍તારમાં રસ્‍તાના કામો ત્‍વરીત હાથ ધરો : લોકોની મેયરને રજુઆત

રાજકોટ તા. ૧ : કોઠારીયા ગામતળમાં આવતા શિવસાગર-ગદાધર સહીતના વિસ્‍તારોમાં પાકા રસ્‍તાના કામો ત્‍વરીત હાથ ધરવા આ વિસ્‍તારના પ્રતિનિધિ મંડળ દ્વારા મેયરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવેલ છે કે વોર્ડ નં. ૧૮ માં આવતા આ વિસ્‍તારો મહાનગરપાલીકામાં ભળી ગયા પછી બે બે ચુંટણીઓ ગઇ. દરેક વખતે વચનો અપાયા. પરંતુ આજ સુધી આ વિસ્‍તારમાં રસ્‍તાના કામો થયા ન હોય ચોમાસમાં લોકોને ખુબ હાડમારી ભોગવવી પડે છે.

ભુગર્ભ ગટરના કામો પણ થઇ ગયા છે. ત્‍યાર બાદ પણ રસ્‍તાના કામો હાથ કરાયા નથી. રસ્‍તાની સુવિધા પ્રાથમિક સુવિધામાં આવે છે. ત્‍યારે શિવસાગર - ગદાધર ીવસતારમાં રસ્‍તાના કામો જો હાથ ધરાશે નહી તો આગામી સમયમાં મહાનગરપાલીકા કચેરી સામે ધરણા-ઉપવાસના કાર્યક્રમો હાથ ધરવા આવેદનપત્રના અંતમાં ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

તસ્‍વીરમાં મેયરને આવેદનપત્ર આપી રજુઆત કરતા શિવસાગર-ગદાધરના રહેવાસીઓ નજરે પડે છે.

(4:57 pm IST)