Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જંગલેશ્વરમાં સાહિલને અહિ શું કામ બેઠો છો? કહી છરી-તલવાર ઝીંકાયા

અલ્તાફ, અખ્તર, લાલો સહિતનાએ માર મારતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨: જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં ભવાની ચોક પાસે રહેતાં અને કંપનીમાં કામ કરતાં સાહિલ હુશેનભાઇ સિંજાત (ઉ.વ.૨૦)ને રાતે સાડા દસેક વાગ્યે ઘર નજીક હતો ત્યારે અખ્તર, અલ્તાફ, લાલો અને બે અજાણ્યાએ ઝઘડો કરી છરી-તલવારથી ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

સાહિલના સગાના કહેવા મુજબ સાહિલ તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે અલ્તાફ સહિતે અહિ શું કામ બેઠો છો? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(10:23 am IST)