Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કાલે સમસ્‍ત ડોબરીયા પરિવારનું સ્‍નેહમીલન

વિદ્યાર્થી, કોરોના વોરીયર્સ તબીબો, નરેશભાઈ પટેલ અને વિજયભાઈ ડોબરીયાનું સન્‍માનઃ ડાંડીયારાસ, ભોજન સમારંભ

રાજકોટઃ સમસ્‍ત ડોબરીયા પરિવાર- રાજકોટ દ્વારા આવતીકાલે તા.૫ના રવિવારે સાંજે ૫:૩૦ વાગ્‍યાથી સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ (કોઠારીયા મેઈન રોડ, કોઠારીયા ગામથી આગળ) ખાતે સ્‍નેહમીલનનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થી સન્‍માન, કોરોના વોરીયર્સ તબીબો, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાનું સન્‍માન કરવામાં આવશે.

આ પ્રસંગે ધો.૮ થી ૧૨ના ૨૨થી વધુ છાત્રોને શિલ્‍ડ, કોરોના વોરીયર્સનું સન્‍માન, ખોડલધામ ટ્રસ્‍ટના પ્રમુખ નરેશભાઈ પટેલ અને સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાનું સન્‍માન કરાશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના ત્રણ હજારથી વધુ લોકો હાજરી આપશે. સાથોસાથ ડાંડીયારાસ અને ભોજન સમારંભ પણ યોજાએલ છે.

આયોજનમાં સંસ્‍થાના પ્રમુખ હરેશભાઈ (મો.૯૮૭૯૧ ૮૯૯૯૨), ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ (મો.૯૨૬૫૬ ૦૬૫૪૬), બાબુભાઈ, ધર્મેશભાઈ, દિપેનભાઈ અને મનોજભાઈ જોડાયા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:16 pm IST)