Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કરણપરામા બાંધકામ સાઇટ પર પારસ સોસાયટીના રાજુભાઇ ચાવડાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ગૃહકલેશને કારણે પગલુ ભર્યુઃ વહેલી સવારે સાઇટ પર આવી લટકી ગયાઃ કડીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: અટીકા ૮૦ ફુટ રોડ નહેરૂનગર પારસ સોસાયટીમાં રહેતાં કડીયા કોન્‍ટ્રાક્‍ટર રાજુભાઇ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૫૦)એ સવારે સાડા સાતેક વાગ્‍યે કરણપરામાં બાંધકામની સાઇટ પર છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

રાજુભાઇ સવારે ઘરેથી નીકળ્‍યા હતાં અને કરણપરા શેરી નં. ૩૧માં આવેલા મનિષભાઇ રાણપરાના મકાનની સાઇટ પર કામ ચાલતું હોઇ ત્‍યાં છતના હુકમાં લટકી જઇ ફાંસો ખાઇ લીધો હતો. તેમને બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્‍સ. રવિભાઇ વાઘેલાએ  જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રાજુભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પત્‍નિનું નામ પ્રવિણાબેન છે. પોતે કડીયા કામ કરતાં હતાં. ગૃહકલેશને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું. 

(4:18 pm IST)