Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપૂત કરણી સેનાના તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિમણૂંકો કરતા પ્રદેશ અધ્યક્ષ

રતનપરના વનરાજસિંહ ઝાલા પ્રમુખ અને વાવડીના કનકસિંહ જાડેજા ઉપપ્રમુખ

રાજકોટ તા. ૪ : શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, જે.પી.જાડેજા, સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાઓની સૂચનાથી જિલ્લા પ્રમુખ જયકિશનસિંહ ઝાલાની આગેવાનીમાં રાજકોટ તાલુકાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જે તમામ નવનિયુકત હોદ્દેદારોના નામ તથા તસ્વીરો દર્શાય છે.

નિમણૂક કરવાની આ મિટીંગમાં ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ - કોઠારીયા) ઉપરાંત શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રવકતા ક્રિપાલસિંહ ઝાલા, સૌરાષ્ટ્ર મંત્રી સત્યેન્દ્રભાઇ ખાચર, રાજકોટ જિલ્લા પ્રમુખ જયકિશનસિંહ ઝાલા, રાજકોટ શહેર પ્રમુખ ભરતસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ઉપાધ્યક્ષ જશુભા જાડેજા, રાજકોટ શહેર ઉપાધ્યક્ષ ઇતિરાજસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, કુલદીપસિંહ જાડેજા, દિલીપસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયવિરસિંહ ચુડાસમા, ઉત્પલસિંહ ઝાલા તેમજ પ્રદિપસિંહ ઝાલા જોડાયા હતા.

(2:53 pm IST)