Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અષાઢી બીજે શ્રી પતીત પાવન ભગવાનનો ભંડારો

સદ્દગુરૂ સદન ટ્રસ્ટ શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ રાજકોટ અને સેવા સમિતિ દ્વારા રાજસ્થાનમાં આયોજન : સાધુ સંતો અને ગુરૂ ભકતો પધારશે

રાજકોટ તા. ૬ : શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પૂ. શ્રી સદ્દગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાનના આશીર્વાદ તથા સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસ બાપુની પ્રેરણાથી સદ્દગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાન જયાં સાક્ષાત બિરાજમાન છે તે પવિત્ર તપોભુમિ ગલ્તાજી જયપુર (રાજસ્થાન) માં સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસ બાપુની આજ્ઞા તેમજ પ્રણાલિકા મુજબ પૂ. શ્રી પતીત પાવન ભગવાનનો ભંડારો (સાધુ ભોજન) અષાઢ વદ બીજ તા. ૨૬ ના સોમવારે શ્રી કનક બિહારી મંદિર, ગલ્તા ગેઇટ, જયપુર (રાજસ્થાન) ખાતે યોજવામાં આવેલ છે. આ ભંડારામાં સેંકડો સાધુ સંતો પધારશે. તેમજ મોટી સંખ્યામાં ગુરૂ ભાઇ બહેનો પણ મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજન અંગે રાજકોટ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) નો સહયોગ મળી રહ્યો છે. દાતાઓ પણ સહયોગી બની રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પતીત પાવન ભગવાન સેવા સમીતી રાજકોટના સુરેશભાઇ ગોળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઇ વસાણી (મો.૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો.૯૮૨૪૫ ૪૬૩૮૫) સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહીતી માટે શ્રી પતીત પાવન ભગવાન સેવા સમીતી (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:06 pm IST)