Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજ તા.૬ જુલાઇના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૦મી જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, બાબુભાઈ ઉઘરેજા, અશ્વિનભાઈ પાંભર, ચેતનભાઈ સુરેજા, દુર્ગાબા જાડેજા, રાજેશ્રીબેન ડોડીયા, જયાબેન ડાંગર, કીર્તીબા રાણા, હાર્દિકભાઈ ગોહેલ, હિરેનભાઈ ખીમાણીયા, અપ્લેશભાઈ મોરજરીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, પરેશભાઈ પીપળીયા(પીપી), કંચનબેન સિધ્ધપુરા, દર્શનાબેન પંડ્યા, વર્ષાબેન પાંધી, કુસુમબેન ટેકવાણી, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, અલ્પાબેન દવે, ભારતીબેન પરસાણા, વિગેરે દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(3:17 pm IST)