Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ચેક રિટર્ન કેસમાં નાગરીક બેંકના બે ડિફોલ્ટરને એક-એક વર્ષની સજાઃ વળતર ચુકવવા હુકમ

રાજકોટઃ તા.૬, બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.

 વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ડો. યાજ્ઞિક રોડ શાખાના ખાતેદારે રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા અને રૈયા રોડ શાખાના ખાતેદાર પ્રફુલચંદ્ર છબીલદાસ ધોળકીયાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ બંને ખાતા ડિફોલ્ટર (એનપીએ) થયા હતા. ખાતેદારોએ આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યાે હતો.

 જેથી બેંકે તા. ૪/૨/૨૦૧૭નાં રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા અને તા. ૫/૪/૨૦૧૬નાં પ્રફુલચંદ્ર છબીલદાસ ધોળકીયા સામે રાજકોટની નેગોશીયેબલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ક્યો હતો. બંને એ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

 આથી, એડી. સીનીયર સિવીલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદારની કોટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્મેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયાને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતર રૂપે રૂ. ૨,૯૩,૫૩૭/- અને પ્રકુલચંદ્ર છબીલદાસ ધોળકીયાને એક વર્ષની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂ. ૪,૮૮,૦૬૫/-ની રકમ ચુકવવી. જો રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા ઉપરોકત રકમ દિવસ-૬૦માં ન ચુકવે તો બીજા ૬ માસની વધારાની કેદ અને પ્રફુલચંદ્ર છબીલદાસ ધોળકીયા ઉપરોકત રકમ દિવસ-૬૦માં ન ચુકવે તો બીજા ૧ વર્ષની વધારાની કેદની સજા ફરમાવી હતી.

 ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટશ્રી રવિભાઇ ગોગિયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા.ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(3:57 pm IST)