Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વજુભાઇએ ગુણુભાઇને ફોન કરીને કહ્યુ... 'હું રાજકોટ પાછો આવુ છુ, હવે હેમુ ગઢવી હોલમાં ડાયરા જોવા જઇશુ'

રાજકોટઃ વજુભાઇ વાળા પોતાના રમુજી સ્વભાવ માટે જાણીતા છેઃ આજથી તેઓ રાજ્યપાલની જવાબદારીમાંથી મુકત થયા છેઃ આજે વજુભાઇએ જવાબદારી મુકત થયા બાદ પોતાના પરમ મિત્ર સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળાને ફોન કરી કહ્યુ હતુ કે, હું રાજકોટ પાછો આવી રહ્યો છુ અને હવે આપણે હેમુ ગઢવી હોલમાં ડાયરા જોવા જઇશુઃ વજુભાઇ વાળા ૨૦૧૪થી કર્ણાટકના રાજ્યપાલ હતાઃ આજે તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતની રાષ્ટ્રપતિએ નિમણુંક કરતા વજુભાઇ હવે નિવૃત્ત થયા છે

(4:00 pm IST)