Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

બેભાન થઇ જતાં કોઠારીયાના અરવિંદભાઇ પોલરાનું મોત

વૃધ્‍ધાશ્રમમાં બેભાન થતાં જેન્‍તીભાઇ સોનછત્રાનું મોત

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ રોલેક્‍સ રોડ શ્રીહરિ સોસાયટી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩/૨૦૨માં રહેતાં અરવિંદભાઇ માવજીભાઇ પોલરા (પટેલ) (ઉ.વ.૪૭) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અરવિંદભાઇ કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતુ.

બીજા બનાવમાં ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્‍ધાશ્રમમાં રહેતાં જેન્‍તીભાઇ હરિલાલ સોનછત્રા (ઉ.વ.૮૦) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(2:05 pm IST)