Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ચોટીલાના પીયાવાના મીનાબેન સોઢાતરનો એસિડ પી આપઘાત

માનસિક બિમારી કારણભુતઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: ચોટીલાના પીયાવા ગામે રહેતાં મીનાબેન રાજુભાઇ સોઢાતર (બારોટ) (ઉ.વ.૪૫) નામના મહિલાએ ઘરે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. તેણીને માનસિક બિમારી હોવાથી પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું.

(3:39 pm IST)