Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમારી ઘરે આવી માફી કેમ નથી માંગતો? કહી નાથાભાઇને સાગર, રવિ, વિશાલે પાઇપથી ફટકાર્યા

ઘંટેશ્વર ૨૫ વારીયામાં દેવીપૂજક વૃધ્‍ધને વહેલી સવારે ઘરમાંથી જગાડીને હુમલો કરાયો

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં દેવીપૂજક વૃધ્‍ધને જુના મનદુઃખને લીધે ત્રણ શખ્‍સોએ વહેલી સવારે ઘરમાંથી જગાડીને પાઇપના ઘા ફટકારતાં પગ-શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

નાથાભાઇ ભુરાભાઇ વાઘેલા (ઉ.૬૦)ને સવારે સાડા ત્રણ પછી પડોશી સાગર, રવિ  અને વિશાલે જગાડી ઝઘડો કરી પાઇપથી હુમલો કરતાં ગંભીર ઇજા થઇ હતી. નાથાભાઇના કહેવા મુજબ અગાઉ આ શખ્‍સો સાથે માથાકુટ થઇ હોઇ અને પોલીસ કેસ થયો હોઇ તેના સમાધાન બદલ ઘરે માફી માંગવા ન જતાં ત્રણેયએ આવી તું કેમ માફી માંગવા આવતો નથી? તેમ કહી હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં નિવેદન નોંધવા તજવીજ થઇ હતી.

(3:39 pm IST)