Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્‍લોકના કારણે ૯ મે ની પોરબંદર-મુંબઈ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રસ રદ્દ

રાજકોટ, ૭ : દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્‍લોકના કારણે ૯ મે ની પોરબંદર-મુંબઈ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રસ રદ્દ
બ્રિજ નંબર ૧૬૬ અને ૧૬૯ પર ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે ૦૮મી મે, ૨૦૨૨ના રોજ વણગાંવ અને દહાણુ રોડ સ્‍ટેશનો વચ્‍ચે મેજર ટ્રાફિક બ્‍લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો
૧) ૯મી મે ૨૦૨૨ના રોજ ઉપડનારી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-મુંબઈ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ
૨) ૮મી મે ૨૦૨૨ના રોજ ઉપડનારી ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્‍ટ્રલ - પોરબંદર સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રસ  ટ્રેનના સંચાલનના સમય, સ્‍ટોપેજ અને સ્‍ટ્રક્‍ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો  ની મુલાકાત લઈ શકે છે.

 

(3:35 pm IST)