Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કાલે નવા રણુજા-દેવપુરમાં સી.આર.પાટીલ, હર્ષ સંઘવી તથા સંતોનો અભિવાદન સમારોહ

સમસ્‍ત ભરવાડ સમાજ રામદેવપીર મંદિર દેવસ્‍થાન સમિતી શ્રી હિરાભગતની જગ્‍યા ખાતે ભવ્‍ય આયોજન

રાજકોટ તા. ૭ :.. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજા - દેવપુર ખાતે કાલે તા. ૮ ને રવિવારે નવા રણુજા - દેવપુરની પાવનધરા ઉપર શ્રી રામદેવજી મહારાજ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્‍ઠા તથા શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્‍સવ પ્રસંગે સાંજે ૭ વાગ્‍યે સંતો તથા રાજકીય મહાનુભાવોનો અભિવાદન સમારોહ યોજાશે.
સી. આર પાટીલનો સત્‍કાર સમારોહ પૂજય સંતશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી ઘનશ્‍યામપુરીજીબાપુ તથા શ્રી ધર્મભુષણ પૂજય રાજેન્‍દ્રદાસબાપુ તોરણીયાની પ્રેરક ઉપસ્‍થિતીમાં રાખેલ છે.
આ તકે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાઘવજીભાઇ પટેલ, કેબીનેટ મંત્રીશ્રી, કૃષિ અને પશુપાલન, પ્રદિપભાઇ પરમાર કેબીનેટ મંત્રીશ્રી, સામાજીક અને ન્‍યાય લાખાભાઇ ભરવાડ ધારાસભ્‍યશ્રી વિરમગામ, પુનમબેન માડમ સાંસદશ્રી, જામનગર - દેવભૂમિ દ્વારકા, આર. સી. ફળદુ, પૂર્વ કેબીનેટ મંત્રી ધારાસભ્‍યશ્રી, જામનગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પૂર્વ રા. કા. મંત્રીશ્રી ધારાસભ્‍યશ્રી જામનગર, રમેશભાઇ મુંગરા, પ્રમુખશ્રી જિલ્લા ભાજપ જામનગર, મુળુભાઇ બેરા પૂ. મંત્રી ગુજરાત સરકાર, બાબુભાઇ દેસાઇ પૂર્વ ધારાસભ્‍યશ્રી, કાંકરેજ, ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ જામનગર, જીતુલાલ પૂર્વ પ્રમુખશ્રી ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, જામનગર પૂર્વ ધારાસભ્‍ય કાલાવડ સહિતના ઉપસ્‍થિત રહેશે.
આ તકે જેઠાભાઇ ભરવાડ, ઉપાધ્‍યક્ષ ગુજરાત વિધાનસભા, રઘુભાઇ હુંબલ (આહીર) પ્રદેશ મંત્રી -ભાજપ ગુજરાત, સમાજરત્‍ન દાનવીર દાતાશ્રીઓ ગોરધનભાઇ ભરવાડ ઉદ્યોગપતિ સુરત, ખીમજીભાઇ મકવાણા ઉદ્યોગપતિ રાજકોટ, ખાસ ઉપસ્‍થિત રહેશે.
સૌને ઉપસ્‍થિત રહેવા સમસ્‍ત ભરવાડ સમાજ રામદેવપીર મંદિર, દેવસ્‍થાન સમિતિ શ્રી હીરાભગતની જગ્‍યા મુ. નવા રણુંજા - દેવપુર, તા. કાલાવડ, જિ. જામનગર મો. ૯૯૭૯૮ ૭૪૦૬૦, ૯૯૭૯૮ ૯૦૦૯ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

 

(4:26 pm IST)